Pulkit School
Secondary and Higher Secondary School
04/05/2025
વિદ્યારાજ ગ્લોબલ સ્કૂલ વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપરાંત તેમના આધ્યાત્મિક વિકાસ અને ભારતીય પરંપરા મુજબ તેમને સંસ્કાર મળતા રહે તે માટે સતત પ્રયત્નશીલ છે.
સમગ્ર વિશ્વના કલ્યાણ માટે આપણા વિઘ્નહર્તા અને માતૃ - પિતૃ ભક્તિના આદર્શ ઉદાહરણ એવા શ્રી ગણેશજી ની સ્થાપના શાળામાં કરવામાં આવી હતી.જેમાં કે.જી. વિભાગ અને પ્રાથમિક વિભાગ એમ બંને જગ્યાએ પર્યાવરણને જરાય નુકસાન ન પહોંચે તેવા ઇકો ફ્રેન્ડલી માટી માથી બનાવેલા ગણપતિ મહારાજની મૂર્તિનું ઉત્સાહ પૂર્વક સ્થાપન કરવામાં આવ્યું હતું.
વિદ્યારાજ ગ્લોબલ સ્કૂલના આચાર્ય શ્રી રવિભાઈ ઠાકોર તેમજ પુલકિત શાળાના આચાર્ય શ્રી જસ્મિનભાઈ કોરિયાએ આજના કાર્યક્રમનો હેતુ તેમજ ગણેશજીના આપણા જીવનમાં અપનાવવા લાયક ગુણો વિશે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. જેમાં માતા, પિતા તેમજ કુટુંબના વડીલો ની મર્યાદા જાળવવી અને તેમની સેવા કરવા જેવી પ્રવૃત્તિ કરવા માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સ્થાપિત મૂર્તિની પૂરી શ્રદ્ધાથી પૂજાવિધિ અને આરતી કર્યા બાદ પ્રસાદી લઈને કાર્યક્રમ પૂર્ણ થયો હતો.
સમગ્ર કાર્યક્રમ સંસ્થાના પ્રમુખ ડો.કુલદીપસિંહ સિસોદિયા તથા સંસ્થાના એજ્યુકેશન ડાયરેક્ટર શ્રી મહેશભાઈ પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો.
Click here to claim your Sponsored Listing.
Category
Contact the school
Telephone
Website
Address
Brahma Colony
Junagadh
362001
Opening Hours
| Monday | 7am - 1pm |
| Tuesday | 7am - 1pm |
| Wednesday | 7am - 1pm |
| Thursday | 7am - 1pm |
| Friday | 7am - 1pm |
| Saturday | 7am - 11:59am |