Setu Publication
B-5/104, Platinum Park, Causeway Link Road, Dabholi, Surat-395004
(M) 9537462684
08/03/2022
“ઢેબરાં, ઢેબરાં, ઢેબરાં, અરે પાછાં ઢેબરાં !” એવો લેખ ગાંધીનગર સમાચારમાં લખ્યો ત્યારે કલ્પના ન હતી કે એ લેખની પૂંઠે પ્રવાસના બીજા ઘણા લેખો લખી શકાશે અને નેપાળ પ્રવાસનું એક નાનકડું ‘જય પશુપતિનાથ’ પુસ્તક લખી શકાશે. એ પુસ્તક થયું તે પછી ગંગાસાગર અને જગન્નાથપુરીનું ‘સારે તીરથ બાર બાર’ લખાયું. હજુ એની નકલો તો બધા મિત્રોને આપી શકાઈ નથી ત્યાં દક્ષિણ ભારતના પ્રવાસની વાતો લઈને ફરી વાર આપની સમક્ષ હાજર થયો છું.
ઈસવીસન ૨૦૧૯ની ૨૭મી ઑગષ્ટે અમે અહીંથી નીકળ્યાં હતાં અને દસમી સપ્ટેમ્બરના રોજ રાત પડ્યે અમદાવાદ પરત થયાં. ચાર દિવસ ટ્રેનના બાદ કરીએ તો પૂરા દસ દિવસ અમે દક્ષિણ ભારતમાં ગુજાર્યા હતા. મારે શ્રાવણ માસના ઉપવાસના છેલ્લા પાંચ દિવસ બાકી હતા અને આ પ્રવાસની શરૂઆત થઈ હતી. કોઈ દિવસ ઉપવાસ કરવામાં તકલીફ પડી નહીં. તિરુપતિનાં દર્શન કર્યા તે દિવસે તો કેવળ ભગવાનના પ્રસાદના આધારે જ આખો દિવસ ખેંચી કાઢ્યો હતો. પહેલા દિવસે વરસાદમાં પલળ્યાં હતાં. એક પ્રવાસી મિત્રની કન્યાકુમારીમાં તબિયત બગડી હતી. તે સિવાય આખો પ્રવાસ ખૂબ આનંદથી થયો.
રામેશ્વરનાં દર્શન કરવાની ઘણા વરસોથી ઇચ્છા હતી તે આ પ્રવાસ બાદ પૂર્ણ થઈ છે તેનો આનંદ છે. એટલો જ આનંદ તેનું પુસ્તક બની શક્યાનો પણ છે.
ગાંધીનગર સમાચારમાં આ પ્રવાસ લેખો રજૂ કરવાની તક આપવા બદલ શ્રી કૃષ્ણકાંતભાઈ જહાનો આભારી છું, પારાવાર દોડધામમાંથી સમય કાઢીને ઉમળકાભેર પ્રસ્તાવના લખવા માટે કુ. પ્રજ્ઞાબેન પટેલનો ઘણો આભારી છું. ‘સારે તીરથ બાર બાર’ના પ્રકાશન સમયથી સેતુ પબ્લિકેશનના શ્રી નટવરભાઈ પટેલ અને શ્રી સંકેતભાઈ સાથે એક નવો સંબંધ બંધાયો છે. મારા લેખોને પુસ્તકાકાર સ્વરૂપ આપવામાં તેમણે ઘણી સહાય કરી છે તે બદલ બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું. નેપાળ પ્રવાસની જેમ અમારા પાડોશી શ્રી રાજુભાઈ અને શ્રીમતી ઉષાબેન આ પ્રવાસના સહપ્રવાસી હતાં. સમગ્ર પ્રવાસ દરમિયાન જાણે-અજાણે મદદરૂપ થનાર બીજાં સાથીમિત્રોનો આભાર માન્યા વગર કેમ ચાલે ? રોજેરોજ અવનવી સ્વાદિષ્ટ રસોઈ જમાડનાર નયનભાઈ પણ મિત્ર બની ગયા છે. તેમના કેરીના અથાણાંનો સ્વાદ કાયમ જીભને યાદ આવતો રહે છે. આ પુસ્તકને પણ ચિ. વિલાસ અને રોહિણીના ચિત્રો સાંપડ્યાં છે. આ વેળા દરેક પ્રકરણ માટે અલગ ચિત્રો બનાવી શકાયાં નથી. પણ જેટલાં બન્યાં છે, બહુ સુંદર બન્યાં છે.
મારા અગાઉના ‘જય પશુપતિનાથ’ અને ‘સારે તીરથ બાર બાર’ પુસ્તકની જેમ આ પ્રવાસ પુસ્તક પણ આપ સૌને ગમશે એવી આશા રાખું તો અસ્થાને નહીં ગણાય.
06/02/2022
આ સંગ્રહમાં કાવ્યોના વિષયોમાં કવયિત્રીએ વૈવિધ્ય જાળવ્યું છે. કાવ્યોના ઢાળ જાણીતા ગરબા, ભજન વગેરે પર આધારિત છે, તો કેટલાંકના ઢાળ, રાગ અલગ પણ પડે છે. નીલમબેન સૂક્ષ્મ નજરે પ્રકૃતિને નિહાળે છે અને તેમાંથી પકડવા જેવું પકડીને કાવ્યમાં સરસ રીતે મૂકે છે. અહીં તહેવારોમાં હોળી, દિવાળીની વાત છે, તો ખાવાની ચીજાે જલેબી, જાંબુ, કેરી વગેરેની પણ વાત છે. તો વળી, દેડકાભાઈ, ખલીબેન, છત્રી, બતકનું બચ્ચું… કેટકેટલા વિષયોની અહીં વાત છે ! પંક્તિઓ નાની હોવાથી બાળકોને ગાવામાં પણ સરળતા કવયિત્રીએ કરી આપી છે. શિક્ષિકા તરીકેનો અનુભવ પણ ક્યારેક અહીં કામ આવ્યો છે. શિક્ષિકા હોવા છતાં ગીતોમાં બોધને બદલે મોજમસ્તી લાવી શક્યાં છે, એ નીલમબેનનો પ્લસ પૉઇન્ટ કહી શકાય.
Author : Neelamben Jadav
ISBN : 978-81-953762-9-2
Format : Paperback
Size : 5.5/8.5
Page : 44
17/09/2021
‘આત્મકથા ઃ સ્વરૂપ અને વિકાસ’ ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓ માટે તથા જિજ્ઞાસુ વાચકો, સાહિત્યકારો માટે ઉપયોગી નીવડે એવો માહિતીસભર છે. કેટલીક યુનિ.ના અનુસ્નાતક વિભાગમાં પણ તે વિષય તરીકે ભણાવાય છે, ત્યારે આ પુસ્તક વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી નીવડશે.
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
B-5/104, Platinum Park, Causeway Link Road, Dabholi, Katargam
Surat
395004
Opening Hours
| Monday | 10am - 7pm |
| Tuesday | 10am - 7pm |
| Wednesday | 10am - 7pm |
| Thursday | 10am - 7pm |
| Friday | 10am - 7pm |
| Saturday | 10am - 7pm |